Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટેલિકોમ કંપનીઓ હવે માત્ર ડિજિટલ KYC કરશે, નિયમો 1 જાન્યુઆરીથી થશે લાગૂ

03:01 PM Dec 05, 2023 | Maitri makwana

ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થશે. આવતા વર્ષથી નવું સિમ ખરીદતી વખતે માત્ર ડિજિટલ કેવાયસી હશે. આ સિવાય સિમ વેન્ડર્સનું વેરિફિકેશન પણ ફરજિયાત બનશે. સિમ કાર્ડ સંબંધિત છેતરપિંડી રોકવા માટે સરકાર લાંબા સમયથી નવા નિયમો તૈયાર કરી રહી હતી.

હવે નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ થશે. સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ કરવાની જવાબદારી ટેલિકોમ વિભાગ (DoT)ની છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ માત્ર સિમ કાર્ડ ગ્રાહકોનું ઈ-કેવાયસી કરશે. અત્યાર સુધી વેરિફિકેશન પણ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં નવા ટેલિકોમ નિયમો જાહેર કર્યા હતા. પરંતુ તેનો અમલ કરવામાં વિલંબ થયો હતો. નવા નિયમોમાં સરકારે સિમ કાર્ડ વેન્ડરોનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ સિવાય બલ્ક સિમ કનેક્શનની સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે. તેના બદલે બિઝનેસ કનેક્શન આપવાનો નિયમ હશે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવાની લડાઈમાં આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નવા નિયમમાં સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઈઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ અને પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ટેલિકોમ ડીલરો અને એજન્ટોને રજીસ્ટ્રેશન માટે 12 મહિનાનો સમય મળશે. આનાથી એજન્ટો અસામાજિક તત્વોને સિમ કાર્ડ આપતા અટકાવશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને સિમ મેળવવામાં પણ મુશ્કેલી પડશે અને નકલી સિમને રોકવામાં મદદ મળશે.

ડિજિટલ નો યોર કસ્ટમર એટલે કે ઈ-કેવાયસી 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. સિમ ખરીદનારાઓએ ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમમાંથી પસાર થવું પડશે. જો કોઈ વેપારી આવું નહીં કરે તો તેને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સિમ બદલવાના કિસ્સામાં, એસએમએસ સુવિધા સક્રિય થયાના 24 કલાકની અંદર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આધારની છેતરપિંડી રોકવા માટે સરકારે માર્ગદર્શિકામાં કેટલીક જોગવાઈઓ કરી છે. કોઈ પણ વ્યક્તિ આધારનો દુરુપયોગ ન કરે તેની ખાતરી કરવા માટે, પ્રિન્ટેડ આધારના QR કોડને સ્કેન કરીને વસ્તી વિષયક વિગતો મેળવવાની રહેશે. સિમ કાર્ડ બંધ થયા પછી 90 દિવસ સુધી આ નંબર અન્ય કોઈને આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – Gondal: અકસ્માતમાં એક યુવાનનું મોત, એક ઘાયલ