Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Puri Jagannath: વિશ્વવિખ્યાત પુરી જગન્નાથ નૈનાસર, પહંડી અને છેરાની પ્રથા બાદ રથ પર થયા સવાર

06:07 PM Jul 07, 2024 | Aviraj Bagda

Puri Jagannath: Odisha ના પુરી ધામમાં Jagannath Rathyatra ચાલી રહી છે. Jagannath જી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થયા છે. મંદિરથી નીકળ્યા બાદ ત્રણેય રથમાં સવાર થયા અને હવે શોભાયાત્રા ભગવાનની માસી ગુંડીચા દેવીના ઘરે પહોંચશે. ભગવાન Jagannath ની Rathyatra ના દર્શન માટે પુરીમાં ભક્તોની ભીડ ઉમટી છે.

  • પૂજારી અને વહીવટીતંત્રએ અગાઉથી તૈયારીઓ પૂર્ણ કરી

  • President 6 થી 9 જુલાઈ સુધી Odisha ની ચાર દિવસીય મુલાકાતે

  • આ વખતે નૈનાસર ઉત્સવ અને પહંડી એક જ દિવસે

આ પછી ભગવાન એક સપ્તાહ સુધી ગુંડીચા ધામમાં રોકાશે. Rathyatra આઠ દિવસ પછી ભગવાન Jagannath ની પુરી પરત ફરવાની સાથે પૂર્ણ થશે. આ વર્ષની Rathyatra રવિ પુષ્ય નક્ષત્રમાં થઈ રહી છે. જે એક વિશેષ સંયોગ છે. નવયુવાન દર્શન, નેત્રોત્સવ અને Rathyatra રવિવારે એક જ દિવસે આવી રહી છે, જેના માટે પૂજારીઓ અને વહીવટીતંત્રએ અગાઉથી તૈયારીઓ પૂર્ણ કરી હતી. Jagannath Rathyatra માં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે Odisha ના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ 7 અને 8 જુલાઈને જાહેર રજા જાહેર કરી છે.

President 6 થી 9 જુલાઈ સુધી Odisha ની ચાર દિવસીય મુલાકાતે

રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સુરક્ષા દળોને કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરવા અને ભીડને નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ 8 દિવસ દરમિયાન કોઈ બીમાર પડે તો પણ તૈયારીઓ કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ Rathyatra માં ભાગ લેવા President દૌપદી મુર્મુ પણ પુરી પહોંચી ગયા છે. President ની સાથે રાજ્યપાલ રઘુવર દાસ અને મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર હતા. President 6 થી 9 જુલાઈ સુધી Odisha ની ચાર દિવસીય મુલાકાતે છે.

આ વખતે નૈનાસર ઉત્સવ અને પહંડી એક જ દિવસે

આજરોજ બપોરે 1 વાગ્યાથી રત્નવેદીથી ચતુર્ધ દેવતાને રથમાં લાવવા અને રથ પર બેસાડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પછી, રથ પર કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આ વખતે નૈનાસર ઉત્સવ અને પહંડી એક જ દિવસે હોવાના કારણે સમય ઓછો હોવાથી ઘણા ભક્તો નૈનાસર પછી દર્શન કરી શક્યા ન હતા. ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની પ્રક્રિયાને પહાંડી કહેવામાં આવે છે. President Draupadi Murmu , વડાપ્રધાન નરેન્દ્ર મોદી, Odisha ના રાજ્યપાલ રઘુવર દાસ અને મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ ભગવાન Jagannath ની મુલાકાતના અવસર પર શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: Jagannath Rath Yatra : PM મોદીએ દેશવાસીઓને રથયાત્રાની પાઠવી શુભેચ્છા