Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ મૌલવી કમરગનીને જ્યુડિશીયલ કસ્ટડીમાં રખાયો

07:28 PM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ આરોપી મૌલવી કમરગનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત ATSએ વધુ રિમાન્ડની માગણી ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાકેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું. 
શું હતી સમગ્ર ઘટના ?
ધંધુકાના મોઢવાડામાં ડેલુ પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો સહિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.