Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jammu and Kashmir : શ્રીનગરમાં બે દાયકા બાદ રેકોર્ડબ્રેક મતદાન, PM મોદીએ મતદારોની પ્રશંસા કરી…

08:17 AM May 14, 2024 | Dhruv Parmar

સોમવારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ની શ્રીનગર લોકસભા સીટ પર મતદાન દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની નથી. અહીં 38 ટકા મતદાન થયું હતું, જે 1996 પછી સૌથી વધુ મતદાન છે. અગાઉ 1996 માં જમ્મુ-કાશ્મીરની આ સીટ પર લગભગ 41 ટકા મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી શ્રીનગર મતવિસ્તારમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

“યુવાનો માટે ખૂબ જ સારી વાત”

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ ત્યાં 38 ટકા મતદાન નોંધાયું હતું. PM નરેન્દ્ર મોદીએ શ્રીનગરના મતદારોની તેમના ઉત્સાહી મતદાન માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “આર્ટિકલ 370 નાબૂદ થવાથી લોકોની સંભવિતતા અને આકાંક્ષાઓને સંપૂર્ણ અભિવ્યક્તિ મળી છે અને તે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના લોકો માટે, ખાસ કરીને યુવાનો માટે ખૂબ જ સારી બાબત છે.”

ઐતિહાસિક મતદાન બદલ અભિનંદન!

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને રાજકીય પક્ષોએ આ ઐતિહાસિક મતદાન માટે શ્રીનગર મતવિસ્તારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. મતવિસ્તારના કાશ્મીરી પંડિતો જમ્મુના વિશેષ મતદાન મથકો પર પહોંચ્યા અને સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે તેમના સમુદાયના પુનર્વસન માટે મતદાન કર્યું. શ્રીનગર મતવિસ્તાર હેઠળના શ્રીનગર, ગાંદરબલ, પુલવામા જિલ્લાઓ, બડગામ અને શોપિયાં જિલ્લાના 2,135 મતદાન મથકો પર સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું હતું.

1996 માં સૌથી વધુ મતદાન…

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ મતવિસ્તારમાં છેલ્લા 34 વર્ષમાં સૌથી વધુ મતદાન 1996 માં થયું હતું. તે સમયે લગભગ 41 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2019 માં 14.43 ટકા મત પડ્યા હતા, જ્યારે અગાઉની સંસદીય ચૂંટણીઓમાં આ આંકડો 25.86 ટકા (2014), 25.55 ટકા (2009), 18.57 ટકા (2004), 11.93 ટકા (1999) અને 30.06 ટકા (1998) હતો.

આ પણ વાંચો : Lok Sabha Election ના ચોથા તબક્કામાં 67.25 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન…

આ પણ વાંચો : PM MODI : ગંગા સપ્તમી અને નક્ષત્ર રાજ પુષ્ય નક્ષત્રમાં આજે ફોર્મ ભરશે

આ પણ વાંચો : PM Modi: વારાણસીમાં રોડ શો બાદ બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા