Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કરોડોની માલિક Vasundhara Oswal કેમ જેલમાં….?

11:55 AM Oct 18, 2024 |
  • ભારતીય મૂળના સ્વિસ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલની યુગાન્ડાની પોલીસે ધરપકડ કરી
  • 26 વર્ષની વસુંધરા પીઆરઓ ઈન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
  • પંકજ ઓસવાલે પોતાની પુત્રીને મુક્ત કરાવવા સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કર્યો

Vasundhara Oswal : ભારતીય મૂળના સ્વિસ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ (Vasundhara Oswal )ની યુગાન્ડાની પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષની વસુંધરા પીઆરઓ ઈન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેના પિતા પંકજ ઓસવાલનો દાવો છે કે યુગાન્ડામાં વસુંધરા પર કોર્પોરેટ અને રાજકીય છેડછાડનો આરોપ છે, જે સંપૂર્ણપણે ખોટો છે. તેની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી અને 1 ઓક્ટોબરથી તે કસ્ટડીમાં છે. પંકજ ઓસવાલે પોતાની પુત્રીને મુક્ત કરાવવા સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કર્યો છે. વસુંધરાને પરિવારના કોઈ સભ્ય કે વકીલને મળવા દેવાયા નથી. ઉલ્લેખનિય છે કે વસુંધરા 1999માં જન્મ્યા છે અને તે સ્વિટ્ઝર્લેન્ડમાં 1649 કરોડની વિલાની માલિક છે

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીઆરઓ કંપનીના એક કર્મચારીએ વસુંધરા પર ખોટા આરોપ લગાવ્યા હતા. કર્મચારીએ ઓસવાલ પરિવારને ગેરેન્ટર બનાવીને 2 લાખ ડોલરની લોન લીધી હતી. વસુંધરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે વસુંધરાને તેના પરિવાર અને વકીલોને મળવા દેવામાં નથી આવી રહ્યા. તે ડિપ્રેશનમાં ગયો છે. કોઈપણ પુરાવા વગર તેની ધરપકડ કરવામાં આવી છે.

પંકજ ઓસવાલે દાવો કર્યો છે કે તેમની 26 વર્ષની પુત્રીને યુગાન્ડામાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી

ભારતીય મૂળના લોકપ્રિય ઉદ્યોગપતિ પંકજ ઓસવાલે દાવો કર્યો છે કે તેમની 26 વર્ષની પુત્રીને યુગાન્ડામાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી છે. ઈન્ડો-સ્વિસ અબજોપતિ ઉદ્યોગપતિ પંકજ ઓસવાલે યુગાન્ડા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ દાખલ કરી છે. તેમનો દાવો છે કે તેમની 26 વર્ષની પુત્રીને ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે તેમની પુત્રીને ‘કોર્પોરેટ અને રાજકીય છેડછાડ’ના ખોટા આરોપોને કારણે 1 ઓક્ટોબરથી કોઈપણ સુનાવણી વિના અટકાયતમાં રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે 17 દિવસ થઈ ગયા છે અને આ રીતે તેની પુત્રી વસુંધરા ઓસવાલને કસ્ટડીમાં રાખવામાં આવી છે જ્યાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો—-Adani Enterprises ના ખોળે વધુ એક સિદ્ધિ, ઇક્વિટી શેરથી 4200 કરોડ…

પંકજ ઓસવાલના કહેવા પ્રમાણે, તેમની પુત્રી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.

પંકજે દાવો કર્યો હતો કે તેમની પુત્રી વસુંધરા ઓસવાલ પર ભૂતપૂર્વ કર્મચારી દ્વારા ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આ કર્મચારીએ કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી અને ઓસ્વાલના પરિવાર સાથે ગેરેન્ટર તરીકે $200,000 ની લોન લીધી હતી. પંકજ ઓસ્વાલની પુત્રી પીઆરઓ ઇન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને કંપનીની કામગીરીનો મોટો હિસ્સો તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

વસુંધરાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરની એક પોસ્ટમાં શૌચાલયના ફ્લોર પર લોહી

વસુંધરાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરની એક પોસ્ટમાં શૌચાલયના ફ્લોર પર લોહી દેખાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણીને 90 કલાકથી વધુ સમય સુધી પગરખાંથી ભરેલા રૂમમાં બેસવાની ફરજ પાડવામાં આવી હતી. આટલું જ નહીં, લગભગ પાંચ દિવસ સુધી તેને નહાવાની કે કપડાં બદલવાની પરવાનગી આપવામાં આવી ન હતી. મહિલાને સ્વચ્છ પાણી અને યોગ્ય ખોરાક જેવી મૂળભૂત જરૂરિયાતો પણ નકારી કાઢવામાં આવી હતી, સૂવા માટે એક નાની બેન્ચ આપવામાં આવી હતી અને કોઈપણ શંકાસ્પદ પરેડમાં ભાગ ન લેવા માટે કહેવામાં આવ્યું હતું.

વસુંધરા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે

ઓસ્વાલ દાવો કરે છે કે તેમની પુત્રી સામેના આરોપો પરિવાર પાસેથી $200,000ની લોન લેવાના ભૂતપૂર્વ કર્મચારી સાથે સંબંધિત છે. તેના પરિવારે, જેમણે લોન માટે બાંયધરી તરીકે કામ કર્યું હતું, તેણે તેને ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે તેણે પોતાની આર્થિક જવાબદારીઓથી બચવાના પ્રયાસમાં વસુંધરા પર ખોટા આરોપો લગાવ્યા. આ વ્યક્તિ યુગાન્ડા ભાગી ગયો હતો અને બાદમાં તાંઝાનિયામાં ચોરીના પુરાવા સાથે પકડાયો હતો. આમ છતાં વસુંધરા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની સામેની કાનૂની પ્રક્રિયામાં છેડછાડ કરવામાં આવી છે.

જાણો પંકજ ઓસ્વાલ કોણ છે

પંકજ ઓસવાલ એક ઈન્ડો-સ્વિસ બિઝનેસમેન છે જેમણે બુરુપ હોલ્ડિંગ્સ લિમિટેડ કંપનીની રચના કરી છે. આ કંપની પર્થ સ્થિત છે અને તે વિશ્વની સૌથી મોટી લિક્વિડ એમોનિયા ઉત્પાદન કંપનીઓમાંની એક છે. ઓસ્વાલની અંદાજિત નેટવર્થ $3 બિલિયનથી વધુ છે.

આ પણ વાંચો–Tata Group એ દિવાળીની ભેટ આપી! 5 લાખ યુવાનોને રોજગારી આપશે