- હરિયાણા ચૂંટણી: EDની કાર્યવાહીથી કોંગ્રેસમાં હાહાકાર!
- કોંગ્રેસ ધારાસભ્ય રાવ દાન સિંહની મિલકત જપ્ત
- મની લોન્ડરિંગ મામલો: 44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત!
Haryana Assembly Elections : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન (Voting) શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી છે, અને આ અવધિ દરમિયાન તમામ રાજકીય પક્ષો, જેમાં ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) નો સમાવેશ થાય છે, તેઓ પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ ચૂંટણી પ્રચાર વચ્ચે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે કોંગ્રેસ (Congress) ને ચિંતામાં મુકી દીધી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું કે, મનીલોન્ડરિંગ કેસની તપાસ કરતા સમયે, તેમણે કોંગ્રેસના ધારાસભ્ય રાવ દાન સિંહ, તેમના પુત્ર અને અન્ય કેટલાક લોકો સાથે જોડાયેલી સંસ્થાઓની 44 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.
કઈ મિલકતો જપ્ત કરવામાં આવી?
EDએ જાહેર કરેલી માહિતી મુજબ, ગુરુગ્રામના સેક્ટર 99A માં આવેલા કોબાન રેસિડેન્સીના 31 ફ્લેટ અને રાવ દાન સિંહ અને તેમના પુત્ર અક્ષત સિંહની ‘એન્ટિટી’ની 2.25 એકર જમીન હરસરુ ગામમાં સંલગ્ન કરવામાં આવી છે. આ ઉપરાંત, દિલ્હી, ગુરુગ્રામ, રેવાડી (Haryana) અને જયપુર (Rajasthan)માં સ્થિત સનસિટી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ILD ગ્રુપ સાથે સંકળાયેલી સંસ્થાઓના ફ્લેટ અને જમીન પણ જોડવામાં આવી છે.
કોણ છે રાવ દાન સિંહ?
રાવ દાન સિંહ 65 વર્ષના છે અને તેઓ મહેન્દ્રગઢ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે 4 વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. રાવ દાન સિંહે ભિવાની-મહેન્દ્રગઢ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ધર્મબીર સિંહ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ, કોંગ્રેસે તેમને ફરીથી મહેન્દ્રગઢથી ટિકિટ આપી છે. નોંધનીય છે કે, હરિયાણા (Haryana) ની તમામ વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે, અને પરિણામો 8 ઓક્ટોબર, 2024ના રોજ જાહેર થશે.
સમગ્ર મામલો શું છે?
આ મની લોન્ડરિંગ કેસ CBI દ્વારા નોંધાયેલા એક કેસ પર આધારિત છે, જેમાં 1,392.86 કરોડ રૂપિયાની કથિત બેંક લોન છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ કેસમાં એલાઈડ સ્ટ્રિપ્સ લિમિટેડ નામની કંપનીનો સામેલ છે, જ્યાં એજન્સી દાવો કરી રહી છે કે રાવ દાન સિંહ સાથે જોડાયેલી સંસ્થાઓને આ કથિત છેતરપિંડીમાંથી 19 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પણ વાંચો: Jharkhand CM હેમંત સોરેને RSS ની ઉંદરો સાથે કરી સરખામણી