Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: કાચાપોચા હ્રદયના લોકો રહેજો દૂર! વાંદરાએ એક બાળકીને ચૂંથી નાખી

06:00 PM Jul 11, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: મદાવાદ શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ એક કપિરાજને જંગલખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ આજે ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી.

કપિરાજે એક બાળકીને પોતાનો શિકાર બનાવી

Ahmedabad શહેરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રહેણાક વિસ્તારોમાં કપિરાજ અડ્ડો જમાવીને બેઠા હોય છે. જેથી રસ્તામાં અવર-જવર કરતા લોકોને અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય છે. થોડા સમય પહેલા જ એક કપિરાજનો આતંક વધતા જંગલખાતા દ્વારા તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો. અત્યારે ફરી એકવાર હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે અને એક બાળકીને પોતાનો શિકાર બનાવી છે.

શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો

નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને જંગલખાતા દ્વારા તે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી.  અત્યારે પણ વસ્ત્રાલમાં એક બાળકી પર વાંદરાએ હુમલો કર્યો અને પગે બચકું ભર્યું હતું.

આ પણ વાંચો: Surat : હલકી કક્ષાનું તેલ લાવી બ્રાન્ડેડ સ્ટિકર ચોંટાડી ભેળસેળિયું તેલ વેચતા દુકાન માલિકો સામે કાર્યવાહી

આ પણ વાંચો: Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો: Garvi Gurjari: રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ