Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોણ છે મોબાઈલ મિકેનિક લાભ સિંહ ? જેમની સામે પંજાબના સીએમ શરમજનક રીતે હાર્યા

12:36 PM Apr 26, 2023 | Vipul Pandya

પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે.
પંજાબમાં કોંગ્રેસ આટલી ખરાબ રીતે પાછળ રહી જશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
કોંગ્રેસની
117 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણી
માટે હજુ મતદાન ચાલી રહ્યું છે
, પરંતુ પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું
છે. પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને બહુમતી સાથે
સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સીએમ ચન્ની પણ પોતાની સીટ હારી ગયા છે.
નવાઈની વાત એ છે કે સીએમ ચન્નીની શરમજનક હાર મોબાઈલ રિપેર કરનારા એક સામાન્ય
વ્યક્તિ સામે થઈ છે. આવો અમે તમને જણાવીએ કે કોણ એ આ મોબાઈલ રિપેર કરનાર વ્યક્તિ
કે જેણે પંજાબના સીએમ ચન્નીને શરમજનક હાર આપી છે.


પંજાબના મુખ્યમંત્રી ચરણજીત
સિંહ ચન્ની બરનાલા જિલ્લાની ભદૌર બેઠક પરથી આમ આદમી પાર્ટી (
AAP)ના ઉમેદવાર લાભ સિંહ ઉગોકે સામે હારી ગયા. પ્રથમ વખત ચૂંટણી લડી
રહેલા ઉગોકે ચન્નીને
37,558 મતોથી હરાવ્યા હતા. ચન્ની માટે સૌથી
ખરાબ વાત એ છે કે તે રૂપનગર જિલ્લાની ચમકૌર સાહિબ બેઠક પરથી પણ પાછળ છે. તેઓ આ
બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. ચમકૌર સાહિબ સીટ પર આમ આદમી પાર્ટીના ચરણજીત સિંહ
કોંગ્રેસના નેતા પર આઠ હજારથી વધુ મતોથી આગળ છે.


લાભ સિંહની માતા સરકારી શાળામાં સફાઈ કામદાર છે

જેની ચૂંટણી પહેલા કોઈને ખબર નહોતી.. એ જ લાભ સિંહની આજે આખા દેશમાં
ચર્ચા થઈ રહી છે. લાભ સિંહની માતા સરકારી શાળામાં સફાઈ કામદાર છે અને તેના પિતા
ખેતરોમાં મજૂરી કરે છે. લાભ સિંહ માત્ર
2 રૂમના ઘરમાં
રહે છે અને આ વખતે તેમણે સીએમ ચન્ની સામે પહેલી ચૂંટણી લડીને ઈતિહાસ રચ્યો છે. તે
ગામડાઓમાં પ્રચાર કરવા મોટરસાયકલ કે જાહેર બસ દ્વારા ગામડે ગામડે ફરતો હતો. લાભ
સિંહ વિશે તમને જણાવી દઈએ કે તેઓ થોડા વર્ષોથી જ રાજકારણમાં સક્રિય થયા અને આટલી
મોટી જીત હાંસલ કરી. ધારાસભ્ય પહેલા તેઓ પ્રભારી અને પછી બ્લોક ચીફ બન્યા. આ પછી
તેમને સર્કલ ચીફ બનાવવામાં આવ્યા હતા. તેમના ચૂંટણી એફિડેવિટ (
2014 એફિડેવિટ)માં હીરો હોન્ડા મોટરસાઇકલ આપવામાં આવી છે. લાભ સિંહના
અભ્યાસની વાત કરીએ તો તે
12મું પાસ છે.

 

મોબાઈલ રિપેર કરનારે ચન્નીને હરાવ્યા

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
પણ લાભ સિંહના વખાણ કરી રહ્યા છે. 
કેજરીવાલે કહ્યું કે
, ભદૌરથી ચરણજીત સિંહ ચન્નીજીને હરાવનાર
લાભ સિંહ મોબાઈલ ફોન રિપેરિંગની દુકાનમાં કામ કરે છે. એક સામાન્ય કાર્યકર
જીવનજ્યોત કૌરે સિદ્ધુજી અને મજીઠિયા બંનેને હરાવ્યા.
 કેજરીવાલે કહ્યું, ‘લોકોએ મોટી આશાઓ ઉભી કરી છે, આપણે તેમને
તૂટવા ન દઈએ. હું કાર્યકરોને કહેવા માંગુ છું કે અમારે અપશબ્દોનો જવાબ અપશબ્દોથી
આપવાનો નથી. આપણે દેશની રાજનીતિ બદલવી પડશે. આપણે પ્રેમની રાજનીતિ કરવી છે
,
સેવાની રાજનીતિ કરવી છે.


ભારતનો સમય આવવાનો છે

કેજરીવાલે કહ્યું કે આવનારો સમય ભારતનો સમય છે, તેને વિશ્વનો નંબર વન દેશ બનવાથી કોઈ રોકી શકશે નહીં. આમ આદમી પાર્ટી
(
AAP) 20 બેઠકો જીતી છે
અને ગુરુવારે પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી માટે કુલ
117 વિધાનસભા બેઠકોમાંથી 71 બેઠકો પર આગળ
છે.