Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચંદ્રાબાબુ નાયડુ આજે ચોથી વખત CM પદના શપથ લેશે, PM મોદી અને અમિત શાહ રહેશે હાજર…

09:04 AM Jun 12, 2024 | Dhruv Parmar

Andhra Pradesh : આજે દક્ષિણમાં ભાજપની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ આજે સવારે 11.27 કલાકે ચોથી વખત આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના CM તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જનસેના પ્રમુખ પવન કલ્યાણ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. શપથ લેતા પહેલા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ની જનતાએ વિશ્વાસ કર્યો છે અને સરકાર બનાવવાની તક આપી છે, હવે લોકોની સેવા કરીને ઋણ ચૂકવવાનો વારો છે.

શપથ સમારોહમાં મોદી-શાહ સહિત NDA ના ઘણા નેતાઓ હાજરી આપશે…

ચંદ્રાબાબુ નાયડુ આજે વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વિજયવાડા પહોંચ્યા છે. ચંદ્રાબાબુ નાયડુએ પોતે આ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. નાયડુના શપથ સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, BJP અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સહિત NDA ના ઘણા નેતાઓ હાજર રહેશે. TDP સમર્થકો અને તેમના પરિવારના સભ્યોને શપથ ગ્રહણ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે…

ચંદ્ર બાબુ નાયડુએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. નાયડુની કેબિનેટમાં TDP ને 19, જનસેનાને 3 અને ભાજપને 2 મંત્રીઓ મળી શકે છે. TDP ના મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશને પણ નાયડુ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત TDP ક્વોટામાંથી અતચાન નાયડુ, એન ચિન્નારાજપ્પા, અયના પાત્રાડુ, જી શ્રીનિવાસ રાવ, પરિતાલા સુનિથા, કોલ્લુ રવીન્દ્ર પ્રતિપતિ પુલ્લા રાવ, કાલા વેંકટા રાવ કિમિડી, વાય રામકૃષ્ણાડુ, બી રામાંજનેયાલુ, પી સત્યનારાયણ, કે એન શ્રીનંદ, કે. બાબુ અને બી. અખિલા પ્રિયા રેડ્ડીને મંત્રી બનાવવામાં આવી શકે છે.

24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે…

પવન કલ્યાણની પાર્ટી જનસેનાને પણ નાયડુ કેબિનેટમાં સંપૂર્ણ જગ્યા આપવામાં આવી છે. પવન કલ્યાણે કેબિનેટમાં 5 મંત્રી પદની માંગણી કરી હતી પરંતુ તેમને ત્રણ મંત્રી પદ આપવામાં આવી શકે છે. આમાં જનસેના તરફથી નંદેલા મનોહર, બી શ્રીનિવાસ, જી સત્યનારાયણ, એલ નાગમધવી, કોંટલા રામકૃષ્ણના નામ મંત્રી પદની રેસમાં આગળ છે. તે જ સમયે, ભાજપના ક્વોટામાંથી બે લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે, જેમાંથી કામીનેની શ્રીનિવાસ રાવ, સી આદિનારાયણ રેડ્ડી અને સુજાના ચૌધરીનું નામ આગળ વધી રહ્યું છે.

ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળે છે?

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં NDA ની જીતમાં PM મોદીની મહત્વની ભૂમિકા છે. PM મોદી, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણની જબરદસ્ત કેમેસ્ટ્રી આખી ચૂંટણી દરમિયાન જોવા મળી હતી. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં આ જીતનો શ્રેય ખુદ ચંદ્રબાબુ નાયડુ PM મોદીને આપે છે. આ વખતે આંધ્ર પ્રદેશમાં NDA ને જંગી બહુમતી મળી છે. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDA એ 175 માંથી 164 બેઠકો જીતીને એકતરફી જીત મેળવી હતી. જેમાં નાયડુની TDP ને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. જગન મોહન રેડ્ડીની YSRCP ને માત્ર 11 બેઠકો મળી છે. કોંગ્રેસ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

આ પણ વાંચો : J&K : રિયાસી અને કઠુઆ પછી આર્મી બેઝ પર ત્રીજો આતંકી હુમલો..

આ પણ વાંચો : Uttarkashi Bus Accident: ઉત્તરકાશી જઈ રહેલી તીર્થીયાત્રીઓની બસ 20 ફૂટની ખીણમાં પડી

આ પણ વાંચો : Indian Army Chief: 30 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય આર્મીના ચીફ બનશે