+

BJP ના સુંદર સિંહે દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની સીટ જીતી, AAP ઉમેદવારને શૂન્ય વોટ મળ્યા

દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની એકમાત્ર ખાલી સીટ પર મતદાન પૂર્ણ BJP ના ઉમેદવાર સુંદર સિંહે સમિતિની છેલ્લી ખાલી પડેલી બેઠક જીતી AAP ના ઉમેદવાર નિર્મલા કુમારીને હારનો સામનો કરવો પડ્યો…
  1. દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની એકમાત્ર ખાલી સીટ પર મતદાન પૂર્ણ
  2. BJP ના ઉમેદવાર સુંદર સિંહે સમિતિની છેલ્લી ખાલી પડેલી બેઠક જીતી
  3. AAP ના ઉમેદવાર નિર્મલા કુમારીને હારનો સામનો કરવો પડ્યો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પછી, દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની એકમાત્ર ખાલી સીટ પર મતદાન પૂર્ણ થયા પછી હવે પરિણામ પણ બહાર આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સુંદર સિંહે સ્થાયી સમિતિની છેલ્લી ખાલી પડેલી બેઠક જીતી લીધી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર નિર્મલા કુમારીને હારનો સામનો કરવો પડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ વિજેતા સુંદર સિંહને 115 વોટ મળ્યા તો બીજી તરફ નિર્મલા કુમારીને શૂન્ય વોટથી હારનો સામનો કરવો પડ્યો. આપને જણાવી દઈએ કે ‘AAP’ના જોરદાર વિરોધ બાદ આજે (શુક્રવારે) દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિની ખાલી પડેલી એક માત્ર બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.

હવે પેનલમાં ભાજપના 10 સભ્યો…

મેયર અને ડેપ્યુટી મેયરની ગેરહાજરીમાં પ્રિસાઇડિંગ ઓફિસર બનાવાયેલા એડિશનલ કમિશનર જિતેન્દ્ર યાદવની હાજરીમાં આ મતદાન થયું હતું. નોંધનીય છે કે દિલ્હી MCD ના મોટા નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જ લેવામાં આવે છે. આ ચૂંટણી પરિણામ સાથે, ભાજપની પેનલમાં હવે 10 સભ્યો છે જ્યારે સત્તાધારી AAP પાસે માત્ર આઠ છે. આ વર્ષની શરૂઆતમાં સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના કાઉન્સિલર કમલજીત સેહરાવત પશ્ચિમ દિલ્હીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પછી આ પદ ખાલી થયું ત્યારે MCD સ્થાયી સમિતિની છેલ્લી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો : Delhi : ‘બધું હવામાં છે’, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ નારાજ, CAQM ને લગાવી ફટકાર

AAP અને કોંગ્રેસના ભાગીદારી વિના ચૂંટણી યોજાઈ…

આ પ્રથમ વખત હતું જ્યારે AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોની ભાગીદારી વિના ચૂંટણી યોજાઈ હતી. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયએ MCD કમિશનરને 5 ઓક્ટોબરે સ્ટેન્ડિંગ કમિટીના છઠ્ઠા સભ્ય માટે ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે AAP એ ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ મેયરે ચૂંટણી પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે બપોરે 1 વાગ્યે ચૂંટણી યોજવા માટે આપવામાં આવેલો આદેશ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીના એલજીને ગૃહની કામગીરીમાં દખલ કરવાની સત્તા હોવી જોઈએ નહીં. ઓબેરોયે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, ‘આ પછી મને 5 ઓક્ટોબર સુધી સદન સ્થગિત કરવાની ફરજ પડી. કાયદાકીય રીતે 5 ઓક્ટોબરે જ ચૂંટણી થઈ શકે છે.

આ પણ વાંચો : શું છે MUDA કૌભાંડ? કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, લોકાયુક્તે નોંધ્યો કેસ

Whatsapp share
facebook twitter