Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Baba Siddique murder કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ

08:16 PM Oct 18, 2024 |
  1. બાબા સિદ્દીકીના કેસમાં પોલીસ એક્શનમાં
  2. પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ
  3. મને ન્યાય જોઈએ છે – ઝીશાન સિદ્દીકી

તાજેતરમાં જ મુંબઈમાં NCP ના નેતા અને માયાનગરીના પ્રખ્યાત ચહેરા બાબા સિદ્દીકી (Baba Siddique)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. હવે બાબા સિદ્દીકી (Baba Siddique)ની હત્યાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના પર બાબા સિદ્દીકી (Baba Siddique)ના કાવતરામાં સામેલ હોવાનો અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં 5 નવા આરોપીઓની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ વિશે માહિતી..

  • નીતિન ગૌતમ સપ્રે (32) ડોમ્બિવલી
  • સંભાજી કિશન પારબી (44) અંબરનાથ
  • રામ ફૂલચંદ કનૌજિયા (43) પનવેલ
  • પ્રદીપ તોમ્બર (37) અંબરનાથ
  • ચેતન દિલીપ પારધી (33) અંબરનાથ

શું છે આરોપ?

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ તમામ આરોપીઓના માસ્ટર માઈન્ડ નીતિન અને રામ કનોજિયા હતા. આ મોડયુલે ગોળીબાર કરનારા આરોપીઓને હથિયારો પુરા પડ્યા હતા. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને શૂટર ધર્મરાજ કશ્યપ અને શિવકુમારના સંપર્કમાં પણ હતા. 2 મહિના સુધી કર્જતમાં આરોપી સાથે રહ્યો. તેણે આરોપીઓને પૈસા અને સ્થાનિક મદદ પણ પૂરી પાડી હતી.

આ પણ વાંચો : Prakash Ambedkar નો આક્ષેપ, ‘Sharad Pawar દુબઈમાં દાઉદ ઈબ્રાહિમને મળ્યા’

આરોપીઓ સામે કેસ નોંધાયો…

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ આ કેસના આરોપીઓ ઝીશાન અખ્તર અને શુભમ લોંકરના સંપર્કમાં પણ હતા. ધરપકડ કરાયેલા આરોપી નીતિન વિરુદ્ધ હત્યા, હાફ મર્ડર અને આર્મ્સ એક્ટના ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. તે જ સમયે, રામ કુમાર પર પણ કેટલાક આરોપો નોંધાયેલા છે. આ હથિયારો આ આરોપીઓને સપ્ટેમ્બર મહિનાની આસપાસ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Delhi ના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા

મને ન્યાય જોઈએ છે – ઝીશાન સિદ્દીકી

ગઈ કાલે પુત્ર ઝીશાન સિદ્દીકીએ બાબા સિદ્દીકી (Baba Siddique)ની હત્યા અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેણે લખ્યું હતું- “મારા પિતાએ ગરીબ નિર્દોષ લોકોના જીવન અને ઘરની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે મારો પરિવાર વ્યથિત છે, પરંતુ તેમના મૃત્યુનું રાજકારણ ન થવું જોઈએ અને ચોક્કસપણે વ્યર્થ ન જવું જોઈએ. મને ન્યાય જોઈએ છે, મારા પરિવારને ન્યાય જોઈએ છે.”

આ પણ વાંચો : પરાળી સળગાવવા મુદ્દે Haryana સરકાર એક્શનમાં, લીધા આ બે મોટા નિર્ણયો