+

એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વિદેશમંત્રી મેરિસ પેન સાથે કરી ચર્ચા

એસ.જયશંકરની કવાડ દેશોની બેઠકમાં હાજરીવિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના મેરિસ પેને સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.   એસ. જયશંકરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરિસ પેન સાથે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. ઓસ્ટ્રેલિયાના વà

એસ.જયશંકરની કવાડ દેશોની બેઠકમાં હાજરી

વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ
દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના મેરિસ પેને સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર
ચર્ચા
કરી હતી.

 

એસ. જયશંકરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરિસ પેન સાથે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીએ ટ્રેડિંગ સહિતના આંતરરાષ્ટ્રીય સંબંધો ભારત સાથેના સુમેળભર્યા હોવાનું જણાવ્યુ હતું.  બેઠક બાદ એસ.જયશંકરે મીડિયાને સંબોધતા કહ્યું કે, હું
ઓસ્ટ્રેલિયન સરકારની સરહદો ખોલવાના નિર્ણયને આવકારું છું’
, ‘જે ભારતમાં પરત આવવાની રાહ જોઈ રહેલા લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અસ્થાયી વિઝા ધારકોને મદદ કરશે’. ‘આ નિર્ણયની પ્રશંસા કરવી જોઈએ. જયશંકરે જણાવ્યું હતું કે અમે ઈન્ડો-પેસિફિકમાં વ્યાપકપણે
સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરીને વધુ વિશ્વાસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન
બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ
.

 

ભારત-ચીન સંબંધો પર ચર્ચા: જયશંકર

જયશંકરે કહ્યું કે, અમે
(ક્વાડ)માં
ભારત-ચીન સંબંધોની ચર્ચા કરી કારણ કે, તે અમારા પડોશમાં જે થઈ રહ્યું છે
તેનો એક ભાગ હતો. અમે આ અંગે એકબીજાને જાણ કરી હતી. આ એક એવો મુદ્દો છે જેમાં ઘણા
દેશો કાયદેસર રીતે રસ ધરાવે છે
‘,
તેમણે કહ્યું કે ચીન
દ્વારા 2020માં સરહદ પર ભારે સુરક્ષા દળો તૈનાત નહીં કરવાના લેખિત કરારની અવગણનાને
કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે કોઈ મોટો દેશ લેખિત પ્રતિબદ્ધતાઓનો અનાદર કરે છે
,
ત્યારે તે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે
ચિંતાનો વિષય છે
.

 

 

આતંકવાદ અને ઉગ્રવાદ વિશે પણ ચિંતા
વ્યક્ત કરી: જયશંકર

જયશંકરે વધુમાં કહ્યું કે, અમે
આતંકવાદ અને ઉગ્રવાદને લઈને ચિંતાઓ પણ
વ્યક્ત કરી છે. અમે સરહદ પરના આતંકવાદને લઈને ગંભીર છીએ. આ મુદ્દાને
બહુપક્ષીય મંચ પર ઉઠાવવાનો અને આતંકવાદ વિરોધી સહયોગને પ્રોત્સાહન આપવાનો અમારો
સામાન્ય પ્રયાસ છે.

 

યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન
અને એસ જયશંકર વચ્ચે વાતચીત

ક્વાડ મીટિંગમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન મેલબોર્નમાં તેમના ભારતીય એસ
જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો
, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ, રશિયા-યુક્રેન સંકટમાં રાજદ્વારી પ્રયાસો અને વર્તમાન કોરોના સંકટ પર
ચર્ચા કરી હતી.

Whatsapp share
facebook twitter